ખરજવું ખંખેરી નાખ્યું તમે તો સાહેબ/ ઓ.પી.ડી. ડાયરીઝ

  • Home
  • Gujarati
  • ખરજવું ખંખેરી નાખ્યું તમે તો સાહેબ/ ઓ.પી.ડી. ડાયરીઝ
A patient with severe atopic dermatitis, also known as eczema.

સાંજ નો સમય. ચા નો સમય રેધર ટી ટાઇમ. અને સાથે ઓ. પી. ડી. નું હેકટીક શીડ્યુલ.

મન્ડે ની ઓ. પી. ડી. આમપણ થોડી વધારે જ રહે કેમ કે વિકેન્ડ માં દર્દી ને આવવાનું કદાચ ન ફાવ્યું હોય એના હિસાબે ચોક્કસ એ સોમવાર એ આવવાનું પ્રીફર કરે.

સરસ સંગીત વાગતું હતું.

અને એક પેશન્ટ ફોલો અપ આપી ને બહાર આવેલું… અને પછી બીજું ફોલો અપ મેં શરુ કર્યું. એ દરમ્યાન એક પેશન્ટ આવ્યુ બહાર અને મારા આસીસટન્ટ ને તરત પૂછ્યું કે સાહેબ ને કેટલી વાર લાગશે જરા પૂછી જોશો આપ? ફોલો અપ મારું ચાલુ હોઈ મેં કયું કે હાર્ડલી ૫ થી ૬ મિનિટ તો લાગશે. થોડી રાહ જોવી પડશે એમને.

ફોલો અપ પત્યું અને મેં બહાર રાહ જોઈ રહ્યા પેશન્ટ ને કેબીન માં આવવા માટે નું સુચન કર્યું. દર્દી કે જે બહાર વેઈટીંગ રૂમ માં પણ રાહ જોવી પડી થોડી વાર તો એના લીધે થોડો બેચેન થયેલું અને મારી કેબીન માં આવતા વેત જ પંખો અને એ.સી. બંધ કરવાનું કહ્યું. અને કહ્યું કે આ રૂમ ની વિન્ડો પ્લીઝ ઓપન કરશો સાહેબ. મને ખુલી હવા વધુ માફક આવશે.

દર્દી એ ત્રણ થી ચાર વાર પ્રશ્નો પૂછ્યા.. જેમકે. સાહેબ ખંજવાળ મટી તો જશે ને અને ચામડી ની ગંભીર હાલત કાયમ માટે તો જતી રેહશે ને? અને હા આ દવા માં સ્ટેરોઈડ નથી ને ? દવા લીધા પછી આ વધી તો નહિ જાય ને ?.સાહેબ તમે ક્રીમ આપશો કે ક્રીમ ને દવા બેય આપશો? આટલા પ્રશ્નો પૂછ્યા બાદ દર્દી ને ખુબ આતુરતા હતી પ્રશ્નો નો તાત્કલિક ઉત્તર મેળવવા ની.

દર્દી એ ઓલરેડી ઘણી જાત ની દવાઓ લીધેલી અને એ ઉપરાંત અનેક પ્રકાર ના ક્રીમ લગાવેલ અને છતાંય કોઈ પણ પ્રકાર ની રીલીફ મળેલી નહોતી. અને દર્દી ની ખંજવાળ અતિશય વધારે હોવાથી દર્દી ને અસહ્ય પીડા હતી અને તત્કાલ રાહત મળે એની ચોક્કસ જરૂર હતી. પોપડીઓ ઉપસી જતી ચામડી પર અને ખંજવાળવા ની ખુબ ઈચ્છા થયા કરે અને ક્યારેક લોહી પણ નીકળે પાછુ.

સ્વાભાવિક છે દર્દી પોતાના પ્રશ્ન ને લઈને ચિંતા માં હોય જ અને દર્દી ને તત્કાલીફ રીલીફ મેળવવાની જરૂર ચોક્કસ વર્તાતી હતી. દર્દી આમ પણ સ્વભાવ થી પણ બેચેન અને એન્ક્સીયસ જણાતું હતું. તેની વાતો માં આગળ શું થશે એના વિશે ના વિચારો ઘણી વાર પ્રસ્તુત થયા એમના કેસ દરમ્યાન.

દર્દી નો સંપૂર્ણ કેસ લીધો અને તેની તકલીફો ને ઊંડાણ થી સમજી અને આગળ સ્ટેપ વાયીસ એનાલીસીસ અને ઇવેલ્યુશન કર્યું અને ત્યારબાદ પ્રીસ્ક્રીબ્શન લખાયું અને દર્દી ને ૧૫ દિવસ ની દવા આપવામાં આવી . કારણ કે દર્દી ને ઈચ્છા હતી કે પોતાને ૧૫ દિવસ પેહલા દવા લઈને જોઈ જોવું છે કે ફરક પડશે કે નહિ અને એ સાથે દર્દી ને એમ પણ હતું કે આ નાની અમથી ગોળીઓ, સાબુદાણા જેવડી, શું ફરક લાવશે કે નહિ ? દર્દી નો અઠવાડિયા માં જ ફોન આવ્યો કે, સાહેબ ખંજવાળ માં બહુ જ સારું જણાય છે.

તીવ્રતા માં ૨૫ થી ૩૦ ટકા જેટલો ફરક છે. ક્યારેક રાત્રે થોડી મીઠી ખંજવાળ આવે છે. પણ પેહલા કરતા ઘણું સારું અનુભવાય છે. સાહેબ મને તો એમ હતું કે આ દવાઓ ખુબ ધીમી અસર કરે છે. પણ હવે મને વિશ્વાસ છે કે આ દવાઓ મારા રોગ ને ચોક્કસ મટાડશે.

એક દોઢ મહિનો થયો ત્યાં સુધી પેશન્ટ એ દવા લીધેલી. અને ત્યારબાદ પેશન્ટ ને ખુબ જ સારું ઈમ્પ્રુવમેન્ટ મળેલું અને છેલ્લા ફોલો અપ માં પેશન્ટ એ ખુબ સરસ રીતે રજૂઆત કરી અને પોતાનો અનુભવ વ્યક્ત કર્યો અને કહ્યું” ખરજવું ખંખેરી નાખ્યું તમે તો સાહેબ.”

 

દવા નું નામ હતું “   ગ્રેફાયટીસ ”

આ દવા અમે ૨૦૦ પાવર માં ૪ ગોળી સવારે ફક્ત ૫ દિવસ લેવા નું સૂચવેલું.

દર્દી એ નિયમિત રીતે દવા લીધેલી અને અમે કીધેલી એ બધી જ પરેજી ખુબ સરસ રીતે પાળેલી.

આ મેડીસીન કુશળતા થી ખરજવું ની તકલીફ માં ફાયદો અને અકસીર ઈલાજ આપે છે. સાથે દર્દી ના માઈન્ડ ના સિમ્પટોમ ને સાંકળી લે છે, બીજી દવા ઓ ચોક્કસ આમાં ઉપયોગી થયી શકે. પણ દર્દી નો સંપૂર્ણ કેસ લીધા બાદ આ દવા બધી જ રીતે દર્દી ની મેઈન કમ્પ્લેન અને સાથે તાસીર ને આવરી લેતી હોઈ અમે આ દવા અમુક સુચના સાથે પેશન્ટ ને આપેલ.

તમને થોડો અંદાજ આવશે કે કેટલી નાની નાની વાતો ને દર્દી ના રોગ સાથે ધ્યાન માં લઈને દવા અપાતી હોઈ છે. ક્યારેક ૧૫ મિનીટ તો ક્યારેક દોઢ કલાક જે લાગતો હોય છે એનું આ જ કારણ હોય છે.

દર્દી ને જડમૂળ માંથી રોગ જતો રહે એના માટે ની આ ક્રિયા પ્રક્રિયા  છે.

જે ખુબ આવશ્યક છે.

“  દર્દી ની તકલીફો ની તીવ્રતા સમજી ને, તકલીફો નું વિગતવાર અવલોકન કરી, દર્દી ને ઉતમ દવા અપાય છે.દર્દી ની તાસીર ને પણ ધ્યાન માં લઇ દર્દી ના શરીર મન ને સંકલીત કરીને દવા અપાય છે. જેથી દર્દી ના દર્દ નો સંપૂર્ણ અને સચોટ ઈલાજ થાય. “

હેવ અ ગૂડ ડે.

 

 

 

 

Leave A Reply