“ઋતુ બદલાવમાં સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું? જાણો સરળ ઉપાય અને હોમિયોપેથીની અસરકારક દવાઓ”
✍️ ડો. પાર્થ માંકડ – આરોગ્ય અને હોમિયોપેથી વિશેષજ્ઞ
🌦️ “હવામાન બદલે છે, તબિયત પણ સાથે બદલાઈ જાય છે…”
જ્યારે ઉનાળામાં અચાનક માવઠું આવે, કે ઠંડી ગરમી સાથે થાય કે જ્યારે સવારે ગરમી હોય, સાંજેથી ઠંડી પડી જાય… ક્યારેક કમોસમી પવન હોય તો ક્યારેક અચાનક ભીંજાવું પડતું હોય — ત્યારે શરીર સવારથી રાત્રે સુધી એ બદલાવમાં એક લય પકડવામાં કે વાતાવરણ સાથે એડજસ્ટ થવા માંજ ઝઝૂમતું રહે છે.
આવી ઋતુમાં OPDમાં આવા દિવસોમાં દર્દીઓનો વિસ્ફોટ જ થઈ જાય છે — નાકમાંથી પાણી વહેવું, ગળામાં ખંજવાળ, કફ જામવાં, સાંધા દુખે, ઊંઘ બગડે, ચામડી માં ખંજવાળ, ફરી દાદરની શરૂઆત કે પાચનતંત્રના પ્રશ્નો, કબજિયાત કે વધતી જતી એસિડિટી એ બધું જ સામાન્ય બની જાય છે.
હોમિયોપેથીએ એ તમામ તકલીફોને ખૂબ સારી રીતે અને આડ અસર રહિત ટ્રીટ કરી શકે એવું મેડિસિનનું શાસ્ત્ર છે — જે શરીરની અંદરથી રોગ પ્રતિકારક શક્તિ ઊભી કરે છે અને બીમારી સામે લડવા સહાય કરે છે.
🌿 હોમિયોપેથી દવાઓ – ઋતુ પરિવર્તનમાં ઉપયોગી
(નોંધ: દવાઓ નિષ્ણાતની સલાહ વગર ન લેવાય. અહીંના ઉદાહરણ માહિતી માટે છે.)
🔸 Aconite napellus – ઠંડા પવન પછી તાવ, ગભરાટ સાથે
🔸 Allium cepa – પાણી જેવી શરદી, આંખમાંથી પાણી
🔸 Dulcamara – ભીંજાવા કે ભેજથી તકલીફ વધે ત્યારે
🔸 Sabadilla – સતત છીંક આવે ત્યારે
🔸 Arsenicum album – બળતરા સાથે શરદી, થાક, ઊંઘની બગાડ
🩺 હમણાં નો જ કેસ: રશ્મિબેનનું ઉદાહરણ
ગઈકાલે જે મારી અમદાવાદની ક્લિનિકમાં શરદી – તાવ જેવી સ્થિતિ માં એક યુવતી આવી ઉંમર લગભગ ૩૫ વરસ.
તેઓએ કહ્યું:
“ડોક્ટર સાહેબ, અચાનક હવામાન બદલાયું એટલે છીંક પર છીંક આવે છે. નાકમાંથી પાણી વહી જાય છે. આખો દિવસ નાક વહ્યા જ કરે છે. તાવ જેવું લાગે છે ને કળતર પણ થાય છે. .
ચિકિત્સા
🔹 Dulcamara 30 – ભેજ અને ઠંડા વાતાવરણ સામે બચાવરૂપે આપવા માં આવી
પરિણામ:
માત્ર ચાર કલાકમાં છીંક અને શરદી ૭૦% ઘટી. ઊંઘ સુધરી, કામમાં એકાગ્રતા ફરી મળી. તેઓએ કહ્યું,
“હું તો એક જ દિવસ માં ઠીક થઈ ગઈ બધા હોમિયોપથી ને ધીમી શું કામ કહેતા હશે? ..”
દવા સિવાય પણ બીજી કેટલીક બાબતો નું ધ્યાન રાખવું આવા સમયે જરૂરી છે.
🧘♂️ ઋતુ બદલાવ વખતે થતી તકલીફો ટાળવા માટેની સરળ ટીપ્સ:
1. ગરમ પાણી પીવાનું ચાલુ રાખો — ખાસ કરીને સવારે ઊઠતાની સાથે.
2. ભીંજાવું નહીં — વરસાદ કે ભેજ પછી તરત કપડાં બદલો.
3. છાતી-ગળાનું રક્ષણ કરો — હળવી ચાદર કે સ્ટોલ ઉપયોગ કરો.
4. પેટ હળવું રાખવું — ભારી ભોજન નહીં કરો.
5. સમયસર ઊંઘ — તણાવથી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે.
6. પ્રાણાયામ અને કસરત. યોગ ચાલુ જ રાખવા– ખાસ કરીને શ્વસનતંત્રને મજબૂત કરવા મા
💬 અંતે મારું એક નમ્ર સૂચન…
હવે તમે વિશ્વના કે ભારતના કોઈ પણ ખૂણે રહો — જો શરીર ‘સૂક્ષ્મ’ રીતે કેવા સંકેત આપે છે એ સમજીએ, અને યોગ્ય ઉપાય કરીએ તો શરીર કુદરતી રીતે સ્વસ્થ રહે શકે છે.
હોમિયોપેથી એ માટે એક મજબૂત સાથી બની શકે છે.
🧑⚕️ જો તમે પણ ઋતુ બદલાવના સમયમાં વારંવાર બીમાર પડો છો, તો એકવાર હોમિયોપેથી સારવારની શરૂઆત કરો.
📍 ડૉ. પાર્થ માંકડ, Dr. Mankads’ Homeoclinic, અમદાવાદ
🌐 www.homeoeclinic.com
📩 WhatsApp કે Instagram પર સમય મંગાવી શકો છો
Dr. Parth Mankad
Homeopathy Consultant,
Homeoeclinic