સ્વાઈન ફ્લુ અને હોમીઓપથી

સ્વાઈન ફ્લુ અને હોમીઓપથી
સ્વાઈન ફ્લુ માં દર્દી માં બહુ ઝડપ થી ન્યુમોનિયા ડેવેલપ કરી દે છે જે પ્રાણ ઘાતક નીવડે છે.

સ્વાઈન ફ્લુ શું છે?

સ્વાઈન ફ્લુ એ એક પ્રકાર નો ફ્લુ એટલે કે તાવ જ છે પણ એ થોડો વધારે ચેપી છે અને એમાં દર્દી માં ચિન્હો બહુ ઝડપ થી ન્યુમોનિયા ડેવેલપ કરી દે છે જે પ્રાણ ઘાતક નીવડે એ પરિસ્થિતિ માં બહુ જ ઝડપી લાવી દે છે.

ચિન્હો:

  • ૧૦૦’ થી વધારે તાવ
  • ગળા માં બળતરા
  • નાક થી પાણી નીકળવું
  • માથા નો દુખાવો
  • શરીર નો દુખાવો
  • ભૂખ મરી જવી
  • ઉધરસ – ખાસ કરીને કુત્તા ખાંસી ( barking cough)
  • ૨/૩ દિવસ પછી શ્વાસ લેવા માં તકલીફ
  • ઝાડા –ઉલટી જેવું લાગવું

તકેદારી ના પગલા :

  • શક્ય એટલું સ્વચ્છ ખોરાક , પાણી
  • વારંવાર હાથ ધોવા
  • ભીડ માં જવા નું ટાળવું જાઓ તો મોઢે રૂમાલ બાંધવો
  • જેમને ખાંસી , શરદી થઇ હોય એ લોકો થી દુર રહેવું એમને પણ રૂમાલ બાંધવા ફરજ પાડવી

ઉપાયો :

સ્વાઈન ફ્લુ થયા પછી તેને રોકવો ઘણો અઘરો છે અને તેમની દવા અઈસોલેસન વોર્ડ માં દવા ‘તેમીફ્લું’ દ્વારા થતી હોય છે પણ તેને થતો જ રોકવા ના ઉપાયો જરૂર અપનાવવા જેવા છે :

  • હોમીઓપથી માં દવાઓ જેમ કે Influenzinum ,Ars. Alb , Bryonia , Rhus Tox વગેરે વ્યક્તિ માટે એક વેક્સીન જેટલી જ અસરકારક રીતે સ્વાઈન ફ્લુ અટકાવવા નું કામ કરે છે. તે શ્વસનતંત્ર ની રોગપ્રતિકારક શક્તિ ને એ પ્રમાણે વધારે છે કે સ્વાઈન ફ્લુ કે અન્ય કોઈ પણ પ્રકાર ના ફ્લુ થવા ની શક્યતા ઓ નહીવત થઇ જાય છે.
  • દરરોજ ગરમ પાણી પીવું
  • તુલસી , આદૂ , મરી તેમ જ અરડૂસી નો ઉકાળો બનાવી લઇ શકાય.
  • શરદી થઇ હોય તો ઉકળતા પાણી માં અજમો નાખી તેની વરદ નાક થી લેવી ( નાસ લેવો)
  • નાક ઠંડુ ન પડે એનું ધ્યાન રાખવું, રૂમાલ + માસ્ક એમ ૨ લેયર પણ કરી શકાય.